રોગાન કલા – આશીષ કંસારાની પરંપરાગત રોગાન ચિત્રકળા

આશીષ શાંતિલાલ કંસારા, ગામ માધાપર, ભુજ-કચ્છ
આશીષ કંસારા રોગાન કલા ના કલાકાર છે. તેઓ સદીઓ જૂની કલા ના માસ્ટર કલાકાર છે.
આશીષ કંસારા એ આ કલા તેમના દાદા જમનાદાસ વસ્તારામ કંસારા પાસે થી વારસા માં મેળવી છે. તેઓ ના પિતાજી શાંતિલાલ કંસારા એ રોગાન આર્ટ નથી કર્યું. તેઓ એક રિક્ષા ડ્રાઇવર હતા.
આશિષ કંસારા ૧૦ સુધી જ અભ્યાસ કર્યો છે, અને ત્યાર બાદ તેઓ એ રોગાન કલા નું કામ ચાલુ કરીયુ. મશીન પ્રિન્ટ ને લીધે રોગાન કામ ધીમે ધીમે બહુજ ઓછું થતું ગયું. ૧૯૯૨/૯૩ માં જે થોડા ગણા કલાકાર હતા, તેમને પણ તેમનો વ્યવસાય બદલતા ગયા. અને આ કલા લુપ્ત થવા ને આરે પહોંચી ગઈ, આશીષ કંસારા એ પણ કચ્છ માં આવેલ ભૂકંપ ને લીધે આ કલાને મૂકી ૨ થી ૩ વર્ષ બીજું કામ કરવું પડ્યું. કચ્છ માં આવેલ ભૂકંપ પછી, ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ રણ ઉત્સવ શરૂ કર્યો. અને કચ્છ ના કલાકારો ને નવી જીવાદોરી મળી અને ગણી મૃતપ્રાય કલા ને પણ નવુજીવન મળ્યું. અને આ આર્ટ ને ફરી એક વાર લોકોના દિલ માં જગ્યા મળી.
આ આર્ટ માં અત્યાર સુધીમાં ફક્ત થોડીક જ ડિઝાઇન થતી હતી, પણ આશિષ કંસારા એ આ કલા માં નવી કૃતિ બનાવવાનું શરૂ કર્યું. જેમાં ભગવાન ની પેંટિંગ બનાવવાનું શરૂ કર્યું. શ્રી રાજા રામ દરબાર, ગણેશજી, હનુમાનજી, શ્રી તિરુપતિ બાલાજી, શ્રી સ્વામિનારાયણ ની પેંટિંગ બનાવી અને લોકો ની નજર માં આવ્યા. શ્રી રાજા રામ દરબાર ની પેંટિંગ થી તેઓ ને ગણી ખ્યાતિ મળી. લોકો રણ ઉત્સવ દરમિયાન દૂર દૂર થી આ કલા જોવા આવતા.
કોરોના કાળ દરમિયાન ફરી એક વાર આ કલા દુનિયા થી અળગી થઈ ગઈ. પણ સમય જતા કોરોના પછી આ કલા પાછી જીવિત થઈ અને લોકો ના દિલ માં સ્થાન પામી.
આશિષ કંસારા એ કોરોના પછી આ કલા ને જીવત રાખવા, આ કલા શીખવવાનું શરૂ કર્યું. કોલેજ ના સ્ટુડન્ટ અને સ્કૂલ ના વિદ્યાર્થી ને. યુનિવર્સિટી માં જઈ ને વર્કશોપ પણ લેવા નું ચાલુ કરીયુ. આજે આશીષ કંસારા સાથે ૨૩ થી ૨૫ બહેનો કામ કરે છે.
આશીષ કંસારા રોગાન કલા ના ઓથોરાઇઝ્ડ યુઝર છે. ગવર્મેન્ટ ઓફ ઇંડિયા દ્વારા આ સર્ટિફિકેટ અપાય છે.
માધાપર ગામ એશિયા ના સૌથી ધનિક ગામ તરીકે ઓળખાતું. અને હવે રોગાન કલા દ્વારા ઓળખાય છે.
આશિષ કંસારા ના પત્ની કોમલ કંસારા પણ આ કલા કરે છે, અને શીખવે પણ છે.

રોગાન કલા - આશીષ કંસારાની પરંપરાગત રોગાન ચિત્રકળા

આશીષ કંસારા અને રોગાન કલા

આશીષ કંસારા અને રોગાન કલા

રોગાન ચિત્રકળા નો ઇતિહાસ

રોગાન કલા નો ઇતિહાસ

રોગાન કલા ના પ્રકાર

રોગાન કલા મુખ્યત્વે ૩ પ્રકાર થી થાય છે.
રોગાન છાપ, રોગાન નિર્મિકા છાપ અને રોગાન વર્ણિકા છાપ.
આ કલા ના પહેલા પ્રકાર માં કાપડ ની અડધી બાજુ ભાત પાડી વાળી ને ભાત ને બીજી બાજુ લેવામાં આવે છે.
રોગાન ના બીજા પ્રકાર માં પીતળ ના ડિઝાઇન કોતરેલા બીબા માં રોગાન ભરી લાકડા ના હાથા વડે દબાવી ને કાપડ પર ભાત ઉપસાવવામાં આવે છે.
રોગાન ના ત્રીજા પ્રકારમાં ફક્ત સફેદ કલર દ્વારા ભાત પાડવામાં આવે છે અને એના પર અબરખ, ગોલ્ડ જરી અને સિલ્વર જરી છાંટવામાં આવે છે. જૂના સમય માં રિયલ ગોલ્ડ ના પાઉડર નો પણ ઉપયોગ કરવા માં આવતો.

રોગાન ના રંગો
રંગ રોગાન

રોગાન માં ફક્ત ૫ જ કલર છે. કેસરી, સફેદ, પીળો, લીલો અને વાદળી. જૂના સમય માં પણ આ ૫ રંગો દ્વારા રોગાન કરવામાં આવતું અને આજે પણ આ ૫ રંગોનો ઉપયોગ થાય છે.

1 thought on “રોગાન કલા – આશીષ કંસારાની પરંપરાગત રોગાન ચિત્રકળા”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart